ભાવનગર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ નવેમ્બરનાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

      માહે નવેમ્બર- ૨૦૨૩નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૨/૧૧/૨૦૨૩ નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટર- જેસર, જિલ્લા વિકાસ અધિકારી ગારીયાધાર તથા પોલીસ અઘિક્ષક – ઘોઘા નાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ નાં અધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોનાં પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.

જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયના પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ નંબર સાથે તા.૧૦/૧૧/૨૦૨૩ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંઘીત તલાટી કમ મંત્રી ને રજુ કરવા નિવાસી અધિક કલેકટર, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment